Raj Bhoj – રાજ ભોગ

રાજ ભોગ
જય શ્રી ક્રિષ્ન
rajbhogસમસ્ત હિંદુ સમાજ ને જણાવતા આનંદ થાય છે કે શ્રી હિંદુ મંદીર નું પુનઃનિર્માણ.કોઇ ના પણ નામ વગર અને સમસ્ત હિંદુ સમાજ ના સહકારથી થયેલ છે.આપણા મંદિરમાં ૩૬૫ દિવસ નિત્ય રાજ ભોગ ધરાવવામાં આવેછે માટે વધુ સહકાર ની અપેક્ષા સાથે મંદીર ના લાભાર્થે ૩૬૫ દિવસ માં થી કોઈ પણ અગત્ય ના એક દિવસે તમારા દ્વારા રાજભોગ ધરાવી શકાય છે. અને પંચોપચાર મધ્યાહન પૂજા કરી શકાય તે માટે. તમારા નામ નોંધાવવા વિનંતી.
દાખલા તરીકે
* તમારા ઘરના સભ્ય ની વર્ષ ગાંઠ (Birthday)
* પિતૃ ની પુણ્ય તિથી (Death Anniversary)
* લગ્ન ની વર્ષ ગાંઠ (Wedding Anniversary)
આ રીતે તમારા કોઈ પણ અગત્યના દિવસો દરમિયાન ભગવાન નો રાજભોગ તમારા નામે કરી શકાય તે માટે માત્ર £101પાઉન્ડ ના દાનથી ૩ વર્ષ માટે એજ તિથી કે તારીખે તમો લાભ લેવા ઈચ્છતા હોય તો મંદિરના મહારાજ્શ્રી અથવા ઓફીસ નો સંપર્ક કરવા વિનંતી.
જયશ્રી કૃષ્ણ      આપના સહકારની અપેક્ષા સાથે.              જયશ્રી રામ
rajbhog-notes